આ વર્ષનું દિવાળી વેકેશન મોંઘુ પડશે! ટ્રેનનું બુકિંગ ફૂલ થતા ખાનગી બસોના ભાડા બમણાં, નવા રેટ સાંભળીને ચોંકી જશો – Diwali Vacation

ટિકિટનો ભાવ સાંભળીને કહેશો ઓ બાપ!

દિવાળીના તહેવારને અનુલક્ષીને સૌરાષ્ટ્ર તરફ મુસાફરોનો ધસારો વધવા લાગે છે. ત્યારે ST નિગમે પણ 19 થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો પણ દોડાવવાનો નિર્ણય લીધો છે. આ વચ્ચે સુરતથી સૌરાષ્ટ્ર જતી ખાનગી બસોના ભાડામાં ધરખમ વધારો થયો છે.

• સુરતમાં ટ્રેનો ફૂલ, બસોના ભાડાં ટ્રેનો કરતાં બમણાં થયા

• AC બસોનું ભાડું 3 હજાર સુધી ઊંચુ વસુલાય રહ્યું છે

• સુરત-ભાવનગર AC બસનું ભાડું રૂ.2000 હજારે પહોચ્યું

સુરતમાં સોરાષ્ટ્રમાંથી વેપાર-ધંધા કે નોકરી માટે આવતા લોકોની સંખ્યા ખુબજ મોટા પ્રમાણમાં છે. જોકે, તહેવારોના સમયમાં આ લોકો પોતાના વતન તરફ જવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ખાસ સૌરાષ્ટ્ર તરફ જનારા પ્રવાસીઓની સંખ્યા ઘણી વધારે હોય છે, ત્યારે સુરતથી સૌરાષ્ટ્ર જતી ખાનગી બસના ભાડામાં એકાએક મોટો ઉછાળો જોવા મળ્યો છે.

ટ્રેનનું બુકિંગ ફૂલ થતા બસોના ભાડામાં મોટા પ્રમાણમાં વધારો

સુરતમાં ટ્રેનો ફૂલ થતાં હાલ બસોના ભાડાં ટ્રેનો કરતાં પણ બમણાં થઈ ગયા છે. સુરતથી નોન એસી બસોનું ભાડું 1500થી 2000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે એસી બસોનું ભાડું 3 હજાર સુધી વસુલાય રહ્યું છે. દિવાળીના તહેવારમાં સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસના ભાડા પર નજર કરીએ તો નોન AC સુરત-રાજકોટ બસનું ભાડું રૂ.1200 લેવામાં આવી રહ્યું છે.

સુરત-ભાવનગર AC બસનું ભાડું રૂ.2000 પહોચ્યું

તો સુરતથી રાજકોટ જવા AC બસનું ભાડું રૂ.1500 લેવામાં આવે છે. સુરત-ભાવનગર AC બસનું ભાડું રૂ.2000 રૂપયે પહોચ્યું છે. આ સાથે સુરતથી ભાવનગર જવા માટે નોન AC બસનું ભાડું 1400 રૂપિયા વસુલવામાં આવી રહ્યું છે. જ્યારે સુરતથી ઈન્દોર જવા માટે એસી બસનું ભાડુ રૂ.3000 સુધી લેવામાં આવી રહ્યું છે. તો નોન AC બસનું ભાડું 2000 રૂપિયા સુધી વસુલાય રહ્યું છે.

વધારાની બસો દોડવવાનો નિર્ણય

અહિ ઉલ્લેખનીય છે કે, તહેવારોની સિઝન દરમિયાન રાજ્ય માર્ગ પરિવન વિભાગ દ્વારા વધારાની બસો દોડવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી તહેવારોમાં દરેક મુસાફરોને કોઈ પણ જાતની હાલકી ભોગવવી ન પડે. આગામી દિવાળીના તહેવારમાં પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે ST નિગમ દ્વારા વધારાની 2300 બસો ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

1550 જેટલી બસો સુરત વિભાગમાંથી દોડાવાશે

જેમાંથી 1550 જેટલી વધારાની બસો સુરત ડિવિઝનમાંથી ચાલુ કરાવવામાં આવશે. જ્યારે અમદાવાદ વિભાગમાંથી પણ વધારાની 700 જેટલી બસો ચાલુ કરાવવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા માટે વધારાનું સંચાલન કરવામાં આવશે તેવું ST નિગમના અધિકારી કે. ડી. દેસાઈએ જણાવ્યું હતું.

Leave a Comment