આ વર્ષે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદ પડશે? કયા જિલ્લામાં કેવી સ્થિતિ હશે ? – heavy rain and thunder

બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલી વરસાદી સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો હતો. – heavy rain and thunder

• ગુજરાતમાં પાછળના બે વર્ષથી નવરાત્રીનું આયોજન થઈ શક્યું નથી પરંતુ આ વર્ષે ખેલૈયાઓ નવરાત્રીની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે.

• પરંતુ ચોમાસાની હજી વિદાય થઈ નથી તો શું નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ પડશે ખરો?

ગુજરાતમાં છેલ્લા 7 દિવસથી મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હતો. બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

જોકે, હવે ફરી એકવાર ગુજરાતમાં વરસાદની માત્રા ઘટી જશે અને અનેક વિસ્તારોમાં વરસાદ બંધ થવાની પૂરી શક્યતા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારો તેમજ કચ્છના વિસ્તારોમાં પણ હવે વરસાદ બંધ થવાની શક્યતા છે.

બીજી બાજુ ગુજરાતમાં પાછળના બે વર્ષથી નવરાત્રીનું આયોજન થઈ શક્યું નથી અને આ વર્ષે પણ ખેલૈયાઓ નવરાત્રીની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. નવરાત્રી પહેલાં જ હાલ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને લોકો પહેલાંથી જ ખરીદી કરવામાં લાગી ગયા છે. પરંતુ ચોમાસાની હજી વિદાય થઈ નથી તો શું નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ પડશે ખરો?

બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ

20 કે 21 સપ્ટેમ્બરની આજુબાજુ આ વરસાદી સિસ્ટમની અસર બંગાળની ખાડી પાસે આવેલા વિસ્તારોમાં જોવા મળી શકે.

ભારતમાં ચોમાસાનો વરસાદ મોટા ભાગ દરિયામાં સર્જાતી વરસાદી સિસ્ટમો ઉપર આધારિત હોય છે. બંગાળની ખાડીમાં સર્જાતી વરસાદી સિસ્ટમ આગળ વધતાં ભારતના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે.

થોડા સમય પહેલાં જ સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં એક અઠવાડિયા સુધી વરસાદ થયો હતો.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પણ થયો હતો અને ઘણા વિસ્તારોમાં સતત વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન પણ થયું છે.

નોંધનીય છે કે નવરાત્રી 26 સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં ઊજવવામાં આવેશ.

હવામાનવિભાગે આગાહી કરી છે કે 18 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં ફરીવાર એક નવી વરસાદી સિસ્ટમ ઊભી થશે.

આ લૉ-પ્રેશર સિસ્ટમ દરિયામાંથી આગળ વધીને ભારતના ભૂ-ભાગ પર આવશે અને તેની ઘણા વિસ્તારો પર અસર પડી શકે છે.

20 કે 21 સપ્ટેમ્બરની આસપાસ આ વરસાદી સિસ્ટમની અસર બંગાળની ખાડી પાસે આવેલા વિસ્તારોમાં દેખાવાની શરૂ થઈ જશે.

નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ પડશે?

આ વર્ષે નવરાત્રીની શરૂઆત 26મી સપ્ટેમ્બરના રોજ થવાની છે અને જે બાદ નવ દિવસ સુધી રાજ્યભરમાં તેની ઉજવણી થશે.

હવામાનવિભાગે બે અઠવાડિયાંનું વરસાદનું અનુમાન જાહેર કર્યું છે, તે પ્રમાણે રાજ્યમાં 26 સપ્ટેમ્બરની આસપાસથી જ વરસાદ ફરી શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

જોકે, આ આંકડાકીય મૉડલ પર આધારિત આગાહી છે, જે આવનારા દિવસોમાં વાતાવરણમાં થનારા ફેરફારના કારણે બદલાઈ પણ શકે છે.

જે બાદ ત્રણ દિવસ સુધી એટલે કે 29 સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે.

હવામાનવિભાગના ફૉરકાસ્ટ મૉડલ પ્રમાણે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

રાજકોટ, જામનગર, સુરત, વડોદરા, ભરૂચ, વલસાડ સહિતનાં શહેરોમાં પણ વરસાદ પડી શકે છે.

હવામાનવિભાગે જાહેર કરેલા ફોરકાસ્ટ મોડલ પ્રમાણે નવરાત્રીમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

જોકે, બંગાળની ખાડીમાં ઉત્પન્ન થવા જઈ રહેલી સિસ્ટમ કેટલી મજબૂત બનશે અને કઈ તરફ આગળ વધશે તેના પર તમામ આધર રહેલો છે.

Leave a Comment