રેઈનકોટ-છત્રી મુકી ન દેતા! ગુજરાતમાં આ તારીખ દરમિયાન પડી શકે વરસાદ, જાણી લો હવામાન વિભાગે શું કહ્યું ?

હવામાન વિભાગની આગાહીને લઇને અમદાવાદમાં પણ 23 સપ્ટેમ્બરે છૂટાછવાયા વરસાદની શક્યતા વર્તાઇ રહી છે.

• ગુજરાતમાં વરસાદને લઈને મહત્વના સમાચાર

• દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ કચ્છમાંથી વિદાય લેવાની તૈયારીમાં

23 અને 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ

ગુજરાતમાં વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ કચ્છમાંથી વિદાય લેવાની તૈયારીમાં હોય તેવી સ્થિતિ છે. પરંતુ આગામી તારીખ 23 અને 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમા વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતમાંથી હજુ ચોમાસાએ વિદાય લીધી ન હોય તેમ 23 સપ્ટેમ્બરે અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કારી દેવામાં આવી છે.

રાજ્યમાં સરેરાશ 34% વધુ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વાદળછાયું વાતાવરણ બન્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 34 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 48 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના મતે એક સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે.

નવરાત્રીમાં વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી

આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો. ત્યારે કોરોનાને લઇને નવરાત્રીના આયોજનો પર રોક લગાવી દેવામાં આવી હતી. પરંતુ હવે કોરોનાએ કેડો છોડતા નવરાત્રીના આયોજનો અંગે છૂટ મળી છે આવી સ્થિતિમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ નવરાત્રિમાં વરસાદ વેરી બનશે તેવી ગરબા રસિકો અને ગરબા આયોજકોને ચિંતા સતાવી રહી હતી. આ સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલી આગાહી મુજબ આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા ખુબ જ નહીવત છે. નવરાત્રીમાં વરસાદ પડે તેવી કોઈ શક્યતા ન હોવાથી ગરબા રસિકોને રાહત થઇ છે.

Leave a Comment