હવામાન વિભાગની આગાહીથી ખેલૈયાઓ ચિંતાતુર, આગામી ત્રણ દિવસ અમદાવાદમાં વરસાદનું જોર વધશે.

હવામાન વિભાહની આગાહી અનુસાર, સૌરાષ્ટ્રમાં છુટોછવાયો અને સામાન્ય વરસાદ રહેશે. જોકે આગામી ત્રણ દિવસ બાદ વરસાદની કોઈ આગાહી નથી. ત્રણ દિવસ પછી ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી.

મેઘરાજા નવરાત્રિ દરમિયાન વરસાદી રમઝટ કરી રહ્યા છે.

એવામાં રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. આવામાં હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ દિવસ અમદાવાદમાં વરસાદ જોવા મળશે. જે દરમિયાન સામાન્ય અને છુટોછવાયો વરસાદનું અનુમાન. જોકે ભારે વરસાદની કોઈ આગાહી નથી. પરંતુ સૌરાષ્ટ્રમાં છુટોછવાયો સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ છે.

અમદાવાદમાં નવરાત્રિના ખેલૈયાઓ માટે માઠા સમાચાર

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે જેને લઇ ખેલૈયાઓ ચિંતામાં મુકાયેલા છે. નવરાત્રિના પ્રથમ દિવસે જ મેઘરાજાની પધરામણી થઇ હતી ત્યારે ફરીવાર આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ દરમિયાન સામાન્ય અને છુટોછવાયો વરસાદ થશે. જોકે આ દરમિયાન ભારે વરસાદની કોઈ આગાહી નથી જે એક રાહતના સમાચાર છે.

સૌરાષ્ટ્રમાં છુટોછવાયો સામાન્ય વરસાદ

જોકે ત્રણ દિવસ બાદ વરસાદની કોઈ આગાહી નથી. જોકે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે છે. કચ્છથી ચોમાસાની વિદાય શરૂ થઇ ગઇ છે. જોકે સંપૂર્ણ વિદાયમાં સમય લાગશે.

હાલમાં રાજ્યના માથે સિસ્ટમ બનતી હોવાથી વરસાદી માહોલ રાજ્યમા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન 34 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. તો અમદાવાદમા ક્યાંક છુટોછવાયો વરસાદ રહી શકે છે.

આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડી શકે છે! પ્રથમ નોરતે પણ આકાશમાંથી કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. અને ખેલૈયાઓએ કરેલી નવરાત્રિની તૈયારીઓના રંગમાં ભંગ પાડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નવરાત્રિના પહેલા જ દિવસથી મેઘરાજાએ વરસાદી રમઝટ કરતા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ખેલૈયાઓની ચિંતા અહીંથી જ નથી અટકવાની હવામાન વિભાગે કહ્યું છે કે અજી પણ આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

Leave a Comment