બે-બે વાવાઝોડા સક્રિય, જાણો ગુજરાત પર શું અસર થશે ?, અંબાલાલ ની મોટી આગાહી.

ખેડુતો ચોમાસાના વરસાદની રાહ જોઈ રહયા છે, પરંતુ અત્યારે વાવાઝોડા સક્રિય થવાના સમાચાર સામે આવી રહ્યા છે. અરબી સમુદ્રની અંદર વાવાઝોડું સક્રિય થવાની શકયતા તો છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાની શકયતા છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થતી હોય તો તેની ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળતી હોય છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે તો ગુજરાતના વાતાવરણ પર શું અસર થશે?

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે એવામાં અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી ગય છે તેમને જણાવ્યું છે કે બે વાવાઝોડા સક્રિય થવાની સંભાવના છે મિત્રો આજે આપણે આ લેખમા વરસાદ વરસાદી માહોલ ક્યારથી શરૂ થશે અને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારથી થશે એ વિશેની તમામ માહિતી મેળવીશું.

ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો અંબાલાલ ની આગાહી | Havaman Samachar Gujarat 2023

અરબી સમુદ્રમાં 4 જુનથી 7 જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થશે અને બંગાળની ખાડીમાં 7 જુનથી 10 જૂન આસપાસ વાવાઝોડું સક્રિય થવાની શકયતા સેવાઇ રહી છે. મૃગશીર્ષ નક્ષત્રમાં વાવઝોડું ભારે જોર પકડશે. હવાના દબાણના કારણે બે વાવાઝોડા સક્રિય થશે. આવું ક્યારે જોવા નથી મળ્યુ, પરંતુ પહેલી વખત આવું મોવા મળશે અને વિશિષ્ટ સ્થિતિ પણ સર્જાશે. રાજયમાં વાવઝોડાના કારણે 7 જુનથી 11 જૂનના સમય ગાળામાં વરસાદ પડવાની શક્યતા રહેશે. અને 8 જુનથી 10 જૂનમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે અને વાવણીલાયક વરસાદ થવાની પણ શકયતા છે.

ગુજરાતમાં વાવઝોડાના કારણે 7થી 11 જૂન વચ્ચે વરસાદ આવવાની શક્યતા પુરે પૂરી છે. અને 8થી 10 જૂનમાં ભારે વરસાદ થવાની શકયતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થશે અને વાવણીલાયક વરસાદ ની આશા જોવા મળી રહી છે. ચક્રવાતનો માર્ગ ઓમાન તરફનો હોય અથવા સૌરાષ્ટ્ર તરફનો પણ હોઈ શકે છે. Gujarat Monsoon 2023 સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થતો હોય છે. ચક્રવાત બન્યા પછી ગુજરાત તરફનો માર્ગ હશે તો રોહિણી નક્ષત્ર ઉતરતા સારો વરસાદ જોવા મળશે. ઓમાન તરફ જશે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની શક્યતા રહી શકે છે.

ગુજરાતમાં ચોમાસા અંગે અંબાલાલે પણ મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસી જવાની શક્યતા છે. 15 થી 17 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. 22થી 25 જૂને દરમિયાન અન્ય વિસ્તારમાં ચોમાસું બેસી શકે છે. પિયતની સુવિધા હોય તેઓ વાવણી પણ કરી શકે છે. ખેડૂત મિત્રો ને વાવણી માટે વરસાદ ઉપયોગી સાબિત થઇ શકે છે.

ગુજરાતમાં ચોમાસુ

ગુજરાતમાં 15 થી 30 જૂન ની વચ્ચે ચોમાસુ શરૂ થઈ જશે. તેમજ 22 મી જૂન આસપાસ કાયદેસર ચોમાસાનો ગુજરાતમાં આરંભ થઈ જશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે. ચોમાસાના મધ્ય ભાગમાં થોડી તકલીફ થઈ શકે છે. પરંતુ હાલમાં તો ઝાકળી વાદળો જોવા મળી રહ્યા છે તે ચોમાસુ સમયસર થશે તેની નિશાની છે. તેમજ મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં થશે એવું જણાવામાં આવ્યું છે.

Leave a Comment